પૂર્વ આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિનો જન્મદિન

વલસાડ: મૂળ તામિલનાડુના વતની અને ગુજરાત કેડરના ૧૯૯૧ બેચના આઇ.એ.એસ. અધિકારી ડો.જયંતી રવિનો જન્મ તા. ૧૭ ઓગષ્ટ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી હાલ તામિલનાડુમાં પોંડેચરી પાસેની ઓરોવિેલે હાઉન્ડેશન નામની સરકારી સંસ્થામાં સચિવ પદે ફરજ બજાવે છે.જયંતી રવિ ભૂતકાળમાં પંચમહાલ જિલ્લા કલેકટર, સુરતમાં મ્યુનિસિપલ કમિશનર, રાજ્યમાં શાળાઓ માટેના કમિશનર, આરોગ્ય કમિશનર, ગ્રામ વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ તરીકે તેમણે કોરોના સામેની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!