વલસાડ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ઝોન પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેમજ પ્રદેશ મીડીયા કન્વીનર યગ્નેશ દવે સાથે પરામર્શ કરી જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા,પ્રદેશ મંત્રી તથા જિલ્લા પ્રભારી શીતલબેન સોની અને જિલ્લા પ્રભારી માધુભાઈ કથીરિયા સાથે સંકલન કરી વલસાડ જિલ્લાના મીડીયા વિભાગના કન્વીનર તથા સહ કન્વીનર તેમજ જિલ્લાની ટીમની નિમણુંક કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લા મીડીયા કન્વીનર તરીકે વલસાડ સેવાભાવી યુવાન અને પત્રકાર દિવ્યેશ પાંડેની નિયુક્તિ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડના છીપવાડ સ્થિત પાંડે પરિવાર ના મોભી સ્વ. અમરનાથ રઘુનંદન પાંડે જનસંઘના સ્થાપક સભ્ય હતા. અને ઘણા વર્ષો સુધી એમને ભારતીય જનતા પાર્ટીમાં સેવા આપી હતી. તેમજ દિવ્યેશભાઈના સ્વ. પિતા કૈલાશનાથ પાંડે પણ જનસંઘ સમયથી કાર્યરત હતા અને ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર રહી એમની સેવાઓ આપી હતી અને એક સાચા સમાજ સેવક તરીકે કાર્યરત હતા. દિવ્યેશભાઈની નિયુક્તિ તથા તેમના પરિવાર સહિત તેમના પરિવારના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.