વલસાડમાં ધો. ૧૦ – ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓ માટે તા. ૧૮ ફેબ્રુ.એ પરીક્ષાલક્ષી સેમિનાર યોજાશે

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી સેમિનારનું આયોજન વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. પરીક્ષામાં સફળતા માટે વિદ્યાર્થીઓને વિષય નિષ્ણાંત આરીફ ખાન, ગીરીશ ટંડેલ અને ડો. શ્રીકાંત કનોજીયા તજજ્ઞ તરીકે પોતાની આગવી શૈલીમાં બોર્ડની પરીક્ષા સરળતાથી આપી શકાય તે અંગે સચોટ અને સરળ માર્ગદર્શન આપશે. આ શૈક્ષણિક સેમિનારમાં દરેક વાલીઓ અને વિદ્યાર્થી મિત્રોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા કમિટીના સભ્ય આરીફ ખાન અને ઝાહિદભાઈ દરિયાઈ દ્વારા અખબારી યાદીમાં જણાવામાં આવે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!