વલસાડ જિલ્લામાં મહાશિવરાત્રિ અને હોળી-ધૂળેટીની ઉજવણીને અનુલક્ષીને સભા-સરઘસ બંધી

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં મહાશિવરાત્રિ અને હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી દરમિયાન જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી એ. આર. જહાએ ગુજરાત(મુંબઇ) પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી મળેલી સત્તાની રૂએ સમગ્ર જિલ્લામાં તા. ૦૪ માર્ચ, ૨૦૨૪ સુધી સરઘસ કાઢવાની તેમજ સભા ભરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર જિલ્લામાં તા. ૦૪ માર્ચ સુધી અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ માણસોની કોઈ સભા કરવી કે બોલાવવી નહી, સરઘસ કાઢવુ નહી કે દેખાવ કરવા નહી.
આ હુકમ સ્મશાન યાત્રા કે એસટી બસ-રેલવેમાં મુસાફરી કરવા માંગતા લોકોને, સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનાફાઈડ વ્યક્તિને તથા સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત (મુંબઈ) પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫(૩) મુજબ અથવા ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ અનુસાર સજાને પાત્ર થશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!