વલસાડમાં વકીલો તિરંગા યાત્રા કાઢશે

વલસાડ
આપણો દેશ અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો ને 75 વર્ષ થયા એ માટે સમગ્ર દેશ “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવી રહ્યો છે અને “હર ઘર તિરંગા” ના સંકલ્પ સાથે સમગ્ર દેશમાં ઉત્સવ નો માહોલ છે. આઝાદીની લડતમાં વકીલોનું યોગદાન ખુબજ મોટું હતું. ઇતિહાસ સાક્ષી છે કે જયારે જયારે જરૂર પડી ત્યારે ત્યારે વકીલોએ દેશ પ્રત્યેની ફરજ નિષ્ઠાથી નિભાવી છે. સમગ્ર દેશમાં વિવિધ જિલ્લાના વકીલો તિરંગા યાત્રાનો કાર્યક્રમ કરી રહ્યા છે તેવા સમયે વલસાડના વકીલોએ પણ તા. 10/08/2022 ને બુધવારે બપોરે 2:30 વાગ્યે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. વલસાડ ડીસ્ટ્રીકટ કોર્ટ , લેબર કોર્ટ , રેવેન્યુ કોર્ટ , ગ્રાહક સુરક્ષા કોર્ટ વિગેરે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ મિત્રો દ્વારા તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરેલ છે.જેમાં તમામ વકીલ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહેશે.
આ યાત્રા ડીસ્ટ્રીકટ કોર્ટ, વલસાડથી શરુ થઇ નિયત કરેલ રૂટ પરથી પ્રસાર થઇ આઝાદ ચોક પર રાષ્ટ્રગીતનો કાર્યક્રમ કરી વલસાડ ડીસ્ટ્રીકટ કોર્ટ મુકામે પરત થશે. દરેક વકીલમિત્રોને તિરંગા યાત્રા દરમ્યાન તિરંગાની આન બાન અને શાન શિસ્તબદ્ધ રીતે જળવાય એનું ખાસ ધ્યાન રાખવા આયોજકોએ વિનંતી કરી છે. આ યાત્રાને સફળ બનાવવા માટે વલસાડ ત્રણેય વકીલ મંડળના પ્રમુખો પી. ડી. પટેલ, ભરતભાઈ દેસાઈ અને અમિતભાઈ ગુપ્તા મહેનત કરી રહ્યાં છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!