વલસાડમાં શ્રી ઝુલેલાલ જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ

વલસાડ
વલસાડના સિંધીપંચાયત દ્વારા શ્રી ઝૂલેલાલની 1063મી જન્મજ્યંતીની ભવ્ય ઉજવણી વલસાડના કૈલાસ રોડ સ્થિત મંદિરમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ ઝૂલુસ યાત્રા તેમજ ભજનકીર્તનનો કાર્યક્રમ યોજ્યો હતો. ઝૂલુસની પુર્ણાહુતી બાદ મહાપ્રસાદનાં કાર્યક્રમમાં ભક્તોએ લાભ લીધો હતો. આ પસંગે સિંધી સમાજના પ્રમુખ કિશોરભાઈ ચડનાનીએ સમાજના લોકોને ઝુલેલાલ જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!