HDFC બેંકમાં નોકરી કરતી ખેરગામની ભાણેજ જીનલનું સેલવાસમાં અકસ્માતમાં મોત

ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામના સ્વ.પ્રાધ્યાપક બાબુભાઈ શામજી પરમારની દિકરી શિલ્પાની બીબીએ(એસએસઆર) અને એમબીએ(સરીગામ) પદવી ધારક યુવતી જીનલ સુરેશભાઈ બારોટનું તા.10/04/2024 ને બુધવારના રોજ સેલવાસમાં ટ્રકની ટક્કર લાગવાથી ફેકાઈ જવાથી માથામાં આંતરિક ઈજાથી આકસ્મિક અવસાન થયું હતું. જેમની અંતિમ યાત્રા તે જ સાંજે એમના નિવાસ સ્થાન દોણજા(રાનકુવા)થી નીકળી હતી.
તેણી મોટેભાગે રિક્ષામાં જ એચડીએફસીમાં જોબ માટે આવજા કરતી હતી. કમનસીબે એની સાથેની બહેનપણીએ બાઈક પર લિફ્ટ આપતા બંને જોબ માટે જતા ટ્રકે અડફેટે લીધા હતા. ચાલક બેનપણીને વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જીનલ તત્ક્ષણ મોતને વરી હતી.
અચાનક આઘાતજનક બનાવ થતાં સુરેશભાઈ બારોટ(પિતા), નિરંજનભાઈ પરમાર(મામા), નિશાંતભાઈ પરમાર(મામા) તથા ખેરગામ પરિવાર પર શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!