મહાશિવરાત્રિના મેળા માટે વલસાડ એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાશે

ગુજરાત એલર્ટ । વલસાડ
આજે તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી માટે વલસાડ એસટી વિભાગના ડેપો નજીક આવેલા ગામોના મંદિરમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. જે માટે વિભાગના જુદા જુદા ડેપોથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. વલસાડ ડેપો દ્વારા ખેરગામ ચોકડી થી ભૈરવી/નાંધઈ મંદિર અને વલસાડ થી ઘડોઈ, ધરમપુર ડેપો દ્વારા ધરમપુર થી ભૈરવી/નાંધઈ મંદિર, બીલીમોરા ડેપો દ્વારા ચીખલી થી ભૈરવી/નાંધઈ મંદિર અને બીલીમોરા થી કછોલી તેમજ નવસારી ડેપો દ્વારા નવસારી થી કછોલીના મેળા માટે બસો દોડાવાશે. ઉપરોક્ત તમામ એકસ્ટ્રા બસો મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ૦૬.૦૦ કલાક થી સાંજે ૧૯.૦૦ કલાક સુધી સંચાલન કરવામાં આવશે, જેનો તમામ ભાવિકભક્તોને લાભ લેવા એસટીના વિભાગીય નિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!