વલસાડમાં અબ્રામા સાંઈબાબા મંદિરમાં 19મા પાટોત્સવનું આયોજન

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલ શ્રી સાંઈબાબા મંદિરમાં 19મા પાટોત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વિક્રમ સંવત 2082 ના વૈશાખ સુદ અગિયારસના દિવસે, તા. 27-04-2025 (સોમવાર)ના રોજ યોજાશે. આ પવિત્ર અવસરે ભાવિક ભક્તોને વિશેષ આધ્યાત્મિક આનંદનો લાભ મળે તે માટે દિવસભરના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગત મુજબ:
સવારે 07:30 વાગ્યે શ્રી સાંઈ આરતી, સવારે 10:00 વાગ્યે ગણેશ પૂજન તથા સહગણપતિ પૂજન, વચનવિધિ સવારે 11:00 વાગ્યે અભિષેક અને સ્વાહાકાર બપોરે 12:00 વાગ્યે પૂર્ણાહુતિ અને આરતી.
આ ઉપરાંત સાંજે 07:30 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શ્રી સાંઈ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભજનો દ્વારા ભક્તિનો માહોલ સર્જાશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટીશ્રી, શ્રી સાંઈબાબા મંદિર તથા શ્રી સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ, અબ્રામા, વલસાડ દ્વારા કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ શ્રી સાંઈબાબા મંદિર, અબ્રામા (પોલીસ હેડક્વાર્ટર રોડ, બેન્ક ઓફ બરોડા નજીક, જરથનાઈ બ્રાહ્મણની બાજુમાં) ખાતે યોજાશે. આ પાવન પ્રસંગે સર્વ ધર્મપ્રેમી ભક્તોને ભાવભેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!