વલસાડ જનસેવા સમિતિ દ્વારા મુસ્લિમ સમાજના ધો.૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાનું સન્માન કરાશે

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની જનસેવા સમિતિ દ્વારા વલસાડ તાલુકાના મુસ્લિમ સમાજના ધો. ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ ‘‘એકેડેમિક એક્સલન્સ એવોર્ડ -૨૦૨૫’’ કાર્યક્રમ તા. ૧ જુન ૨૦૨૫ના રોજ રવિવારે બપોરે ૨-૩૦ કલાકે વલસાડની કસ્તુરબા હોસ્પિટલની બાજુમાં આવેલા રાજપુત સમાજના હોલમાં યોજાનાર છે. જે માટે ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની ઝેરોક્ષ કોપીના પાછળના ભાગે પોતાનું નામ, સરનામુ, ફોન નંબર લખી ધનભુરા રોડ પર આવેલા એસ.એસ.ઓટોમાં છેલ્લી તા. ૨૯ મે ૨૦૨૫ સુધીમાં પહોંચાડવાનું રહેશે. વધુ માહિતી માટે ફોન નં. ૯૯૨૫૦ ૮૭૭૬૬ અને ૯૧૫૭૪ ૮૨૯૪૪ પર સંપર્ક કરવા જણાવાયુ છે. આ સમારંભમાં મુસ્લિમ સમાજના ધો.૧૦ અને ૧૨ ના દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવનાર છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ કરવામાં આવનાર છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!