બેસણામાં આવેલા અંકલેશ્વરના પરિવારને ગુંદલાવમાં યમરાજા ભેટી ગયા: અકસ્માતમાં 2 બાળકી અને માતા સહિત 3ના મોત

વલસાડ

દમણમાં ફોઈના ત્યાં બેસણામાં આવેલા અંકલેશ્વરના પરિવારને પરત જતી વખતે વલસાડના ગુંદલાવ હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો. જેમાં બે બાળકી અને મહિલાનું સહિત 3 ના મોત નિપજયા છે. બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રહેતા અલ્તાફ તેની કાર ન. GJ-16-CB-3513 લઈને તેની બહેન અને તેના બાળકો સાથે અન્ય સંબંધીઓ સાથે દમણ અલતાફની ફોઈબાના બેસણામાં બેસવા આવ્યા હતા. બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ ફરવા ગયા હતા. જ્યાં એન્જોય કરીને રવિવારે રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આવતા આગળ ચાલતી ટ્રક ન. GJ-15-YY-8889 ને કાર ચાલક અલતાફે ટક્કર મારી સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઈનના પોલ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જ્યો હતો. કારમાં અલ્તાફ, તસ્લિમબેન, મુશકાન, ખુશી, અરમાન સહિત 7 સભ્યો સવાર હતા. અન્ય કાર ન. GJ–05-CE-5645 માં પાછળ આવી રહેલા પરિવારના સભ્યોએ ગુંદલાવ ચોકડી પાસે ટ્રાફિક જામ જોતા ચેક કરતા અલ્તાફની કારનો અકસ્માત થયેલો જોઈ ચોકી ગયા હતા. ઘટનાની જાણ 108 અને વલસાડ રૂરલ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા હતાં. આ અકસ્માતમાં 2 બાળકી અને 1 મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!