રાજ્યભરમાં આગામી રવિ-સોમવારે રસીકરણ કેન્દ્રો બંધ રહેશે:સાતમ-આઠમના તહેવારોમાં રાજયભરમાં કોરોના રસીકરણ બંધ રાખવા નિર્ણય

અમદાવાદ : સાતમ-આઠમના તહેવારોમાં રાજયભરમાં કોરોના રસીકરણ બંધ રાખવાની રાજય સરકારે જાહેરાત કરી છે જે અંતર્ગત આગામી રવિ-સોમવારે રસીકરણ કેન્દ્રો બંધ રહેશે. રાજયમાં ગુરૂવારે 5.45 લાખ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે કુલ 4.45 કરોડ લોકોએ રસી લઈ લીધી છે.
રાજયમાં કોરોના કાબુમાં જ હોવાનાં કારણોથી સરકારને રાહત છે. ચોવીસ કલાક દરમ્યાન માત્ર 16 કેસ નોંધાયા હતા અને 18 ડીસ્ચાર્જ થયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!