ઉમરગામના ખતલવાડામાં ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક જનહિતકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક લોકો સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઉમરગામના ખતલવાડા ગામમાં ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ૭૮૬ લોકોએ ઉપસ્થિત રહી વિવિધ માહિતી મેળવી હતી. લાભાર્થીઓ માટે સરકારની મહત્વપૂર્ણ ગણાતી ૧૭ યોજનાઓ પૈકી આરોગ્યલક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, વીજ યોજના, પી.એમ.સ્વ નિધિ યોજના સહિતના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.
આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ૬૨૮ લોકોએ આરોગ્યલક્ષી તપાસ કરાવી હતી. જેમાં ટીબીની ૪૩ અને ૫૫ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ઉજ્જવલા યોજના હેઠળ ૧૮ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલાકાર મળી કુલ ૩૪ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ૨૧ લોકોએ ક્વીઝ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો અને ૮ સ્માર્ટફોન ધારકોએ નમો એપ પણ ડાઉનલોડ કરી હતી. આ પ્રંસગે નવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે ગ્રામજનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. વિવિધ યોજનાઓના સાત લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની હેઠળ સરકારની યોજનાના લાભ બાદ જીવન ધોરણમાં આવેલા સુખદ પરિવર્તન અંગે લોકો સમક્ષ પોતાના અનુભવ જણાવતી સાફલ્ય ગાથા રજૂ કરી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!