વલસાડમાં પી. ડી. પટેલનાં માતૃ સ્વ. મણીબેનની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

વલસાડ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શિસ્ત સમિતિના ચેરમેન અને વર્ષોથી વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પીડી પટેલના માતૃ મણીબેનનું 92 વર્ષની વયે અવસાન થતાં ગતરોજ તેમના નિવાસ્થાને યોજાયેલા પ્રાર્થના સભામાં ગુજરાત સરકારના નાણામંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી સ્વર્ગસ્થની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

વલસાડના વકીલ અને મૂળ વલસાડ તાલુકાના ઠક્કરવાડા ગામના વતની પ્રવિણભાઈ ઉર્ફે પી.ડી. પટેલના માતૃ મણીબેન ડાહ્યાભાઈ પટેલનું ઉતરાયણના દિવસે 92 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. ગતરોજ વલસાડના હાલર જકાતનાકા સામે શાંતિનગર સોસાયટીમાં આવેલા તેમના નિવાસસ્થાને બપોરે 2 થી 5 વાગ્યા દરમ્યાન બેસણું-શ્રદ્ધાંજલિ સભા યોજાઇ હતી. જેમાં ગુજરાત સરકારના નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી પી.એ. પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો, અનેક પત્રકારો, સરકારી વકીલો, દક્ષિણ ગુજરાતનાં વકીલો સહિત મોટી સંખ્યામાં મહાનુભાવોએ ઉપસ્થિત રહી સ્વ. મણીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!