ખેરગામ તાલુકા યુવા ભાજપે “મારો પરિવાર મોદી પરીવાર” નાં સ્ટીકર લગાવી પ્રચાર કર્યો

ગુજરાત એલર્ટ | ખેરગામ
ભાજપ દ્વારા મારો પરિવાર મોદી પરિવારનું અભિયાન તેજ કર્યું છે ત્યારે ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચાની ટીમ પણ તેમાં જોડાઇ છે.

આજરોજ ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા “મારો પરિવાર મોદી પરીવાર” સ્ટીકર અભિયાન અંતર્ગત APMC માર્કેટ, દશેરા ટેકરી, નાધઈ ભૈરવી ચાર રસ્તા સહિતનાં સ્થળો પર બાઈક, કાર, ટ્રાન્સપોર્ટેશન વાહન ઉપર સ્ટીકર લગાવ્યા હતાં.

દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને વોટ કરવાની અપીલ કરાઈ રહી છે. અને તમામ લોકોને મોદીના પરિવાર સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા યુવા મોરચાના પ્રમુખ ચેતન પટેલ, મહામંત્રી સુરજ પટેલ, રીન્કુ આહીર, અજય પટેલ સહિત યુવા મોરચાની ટીમ હાજર રહી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!