વલસાડ જિલ્લા ભાજપનાં માજી પ્રમુખ અને વલસાડ કોમર્સ કોલેજના માજી આચાર્ય ડો. બી. જે. ભાંડુતિયાનું નિધન

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ કોમર્સ કોલેજના શિસ્તપ્રિય માજી આચાર્ય ડો. બી. જે. ભાંડુતિયાનું 90 વર્ષની જૈફ વયે મંગળવારની સાંજે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા શિક્ષણ આલમમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. તેમના નિધનથી તેમના પુત્ર કિન્નર ભાંડુતિયા અને નયનેશ ભાંડુતિયાનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
ડો. બી. જે. ભાંડુતિયા તેમના કડક સ્વભાવ માટે કોમર્સ કોલેજમાં જાણિતા હતા. તેમની શિસ્તપ્રિયતાના કારણે વલસાડ કોમર્સ કોલેજનું સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નામ ગુંજતું થયું હતુ. તેમનો જન્મ 10 સપ્ટેમ્બરને 1934માં મુંબઇમાં થયો હતો. વલસાડ કોમર્સ કોલેજમાં તેઓ 1973 થી 1994 ના સમયગાળા દરમિયાન તેમણે આચાર્ય તરીકે સેેવા આપી હતી. આચાર્ય પદેથી નિવૃત્ત થયા બાદ તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખની પદવી પણ તેમણે શોભાવી હતી. તેમણે ગુજરાતી મોચી સમાજ સેવા ટ્રસ્ટ(ગ્રેમ્સ)ની સ્થાપના કરી હતી. તેઓએ સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેમની અંતિમ યાત્રા બુધવારે સવારે 9 કલાકે નિકળી હતી. તેમનું બેસણું 9મીને શનિવારના રોજ બપોરે 3 થી 6 કલાક દરમિયાન મધુસ્મૃતિ હોલ, વલસાડમાં રાખવામાં આવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!