દિવાળીમાં પાવાગઢ મંદિરે જનારાં ધ્યાન આપે: દર્શનનાં સમયમાં થયો છે ફેરફાર

ગુજરાત એલર્ટ । વડોદરા
આજે કાળી ચૌદસથી લઈને દિવાળી, નવુ વર્ષ અને છેક પાંચમ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારને લઈ શક્તિપીઠ પાવાગઢ ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભાવિક ભક્તોએ નવા સમયની નોંધને રજાઓમાં પાવાગઢ મહાકાળી માતાના દર્શને જવું.પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા તહેવારોને અનુલક્ષીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આજે 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી પાવાગઢ મંદિરના દરવાજા વહેલી સવારે ભક્તો માટે ખોલી દેવામાં આવશે. એટલે કે, પાવાગઢ મંદિર સવારે 5.00 કલાકે દર્શન માટે ખુલી જશે. આજે કાળી ચૌદશથી ભાઈબીજ એટલે કે પાંચ દિવસ સુધી પાવાગઢ નીજ મંદિરના કપાટ સવારે ૫.૦૦ કલાકે દર્શન માટે ખોલી દેવામાં આવશે. આ પાંચ દિવસે સાંજે 7.30 કલાકે નિજ મંદિરના દ્વાર દર્શન માટે બંધ થશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!