નવસારી જીલ્લા આહીર સમાજનાં પ્રમુખપદે ભીખુભાઇ આહીરની વરણી: વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે

નવસારી
નવસારી જીલ્લા આહીર સમાજ, નવસારીની આજરોજ તા. ૨૯/૦૫/૨૦૨૨ ના રોજ શ્રી નવસારી જીલ્લા આહીર સમાજ, મોરા મહોલ્લો, પાંચ હાટડી, નવસારી ખાતે મળેલ ખાસ સાધારણ સભામાં ચોથી ટર્મ માટે ટ્રસ્ટીમંડળની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી.

જેમાં સમાજના પ્રમુખપદે નવસારી જી. પં. ના પ્રમુખ ભીખુભાઈ સોમાભાઈ આહીર (બહેજ), ઉપપ્રમુખપદે દિનેશભાઈ ડાહ્યાભાઈ આહીર (સાતેમ), મંત્રીપદે પ્રવિણભાઈ રવજીભાઈ આહીર (અબ્રામા) ની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

નવસારી જી. પં. ના પ્રમુખપદે કાર્યરત ખૂબ જ સક્રિય એવાં ભીખુભાઈને સમાજનાં પ્રમુખ બનાવતાં સમગ્ર જિલ્લાનાં આહીર સમાજમાં આનંદની લાગણી ફેલાઇ હતી. તેમની વરણી થતાં સમાજને નવી આશાઓ બંધાઈ છે. તેમની આગવી સૂઝબૂઝથી સમાજનાં વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. આગામી 3 વર્ષોમાં તેઓ સમાજનાં કુરિવાજો, લગ્નપ્રસંગે થતાં ખોટાં ખર્ચાઓ, બિનજરૂરી રીતિરીવાજોને અંકુશમાં લાવશે એવો વિશ્વાસ આગેવાનો વ્યક્ત કરી રહ્યાં છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!