ગુજરાત એલર્ટ | વલસાડ
અતુલ ખાતે 21 મો ઉલ્હાસ કપ ઈન્વીટેશન ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે માહિતિ આપતા ઉલ્હાસ જીમખાના ના જનરલ સેક્રેટરી જે.ડી. પટેલએ જણાવ્યું હતુ કે અતુલમાં બરોડાથી મુંબઈ સુધીની નામાંકિત કંપની તથા ક્લબની ટીમો જેવી કે GNFC (ભરૂચ),બિરલા કોપર(દહેજ), હિન્દાલકો ક્રિકેટ ટીમ સેલવાસા, ક્રિકેટ એકેડમી સેલવાસા,માંગેલા ઇલેવન (મુંબઇ) ડી.એચ. એમ સ્પોર્ટસ ,દિપલી (સુરત), GACL (દહેજ), સ્ટ્રેલીયન સી.સી (વલસાડ) તથા યજમાન ટીમો મળી ટોટલ ૩૦ ટીમોને આંમત્રણ આપ્યું હતું, તે પૈકી પ્રથમ મેચ ઉલ્હાસ જીમખાના ટીમ(C) વિરુધ્ધ કસ્તુરી એકેડમી સેલવાસા વચ્ચે રમાઇ હતી, ઉલ્હાસ જીમખાના ટીમના કેપ્ટ્ન જતીન પટેલે પ્રથમ બેંટિગ લેતા નિર્ધારીત ૩૫ ઓવરમાં ૧૨૦ રન ૯ વિકેટના ભોગે બનાવ્યા હતા તેના જવાબમાં કસ્તુરી એકેડમી સેલવાસાના કેપ્ટન યુવરાજ રોહિતની ટીમે, ૨ વિકેટ ગુમાવી વિજય હાંસલ કર્યો હતો.
આ ટુર્નામેન્ટની ઉદઘાટન વિધિ ઉલ્હાસ જીમખાના ક્રિકેટ સેકેટરી હોમિયાર કાસદ, ઉલ્હાસ એક્ઝિક્યુટિવ કમિટિ મેમ્બર જતિન પટેલ સાથે જીમખાના જનરલ સેકેટરી જે.ડી.પટેલે કરી હતી.
