ગુજરાત એલર્ટ । સુરત
સુરત ડાયમંડ બુર્સની મિડીયા કમિટીના કન્વીનર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે સુરત હીરા બુર્સમાં વહીવટી સંચાલન સુપેરે થઇ શકે તે માટે આજે મળેલી મિટીંગમાં જુદી જુદી 11 કમિટીઓની રચના તેમજ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન તરીકે વલ્લભભાઇ પટેલ, મેનેજમેન્ટ કમિટી પ્રેસિડેન્ટ તરીકે નાગજીભાઇ સાકરીયા, બે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હિતેશ પટેલ અને અશેષ દોશી, બે જોઇન્ટ સેક્રેટરી તરીકે મહેશભાઇ વાઘાણી અને મનિષભાઇ જીવાણી તેમજ ખજાનચી તરીકે તુલસીભાઇ મોણપરાની નિયુક્તિ કરવામાં આવી છે.
સુરત હીરા બુર્સની ફાઇનાન્સ કમિટીના કન્વીનર તરીકે તુલસીભાઇ મોણપરા, શિસ્ત અને ફરીયાદ નિવારણ કમિટીના કન્વીનર તરીકે કેશુભાઇ ગોટી, લીગલ કમિટીના કન્વીનર તરીકે મનુભાઇ ડાવરીયા, આઇટી, આઇસીટી કમિટીના કન્વીનર તરીકે પ્રતિક શાહ, કસ્ટમ કમિટીના કન્વીનર તરીકે મહેશ વાઘાણી, લીઝ અને ઓક્શન કમિટીના કન્વીનર તરીકે અશેષ દોશી, એડમિન અને એચઆર કમિટીના કન્વીનર તરીકે મનુભાઇ ડાવરીયા, સિક્યુરીટી હાઉસ કિપીંગ કન્વીનર ડાયાભાઇ જીવાણી, મિડીયા અને વિઝીટર કમિટીના કન્વીનર તરીકે દિનેશ નાવડીયા અને મેમ્બર રિલેશન કમિટીના કન્વીનર તરીકે ડાયાભાઇ જીવાણીની નિયુક્તિ કરવામાં આવી છે.